મોરબીવાવાઝોડા અંતર્ગત સરકારી અધિકારીઓ નામી અનામી સેવાભાવી સંસ્થાઓ સ્થળાંતર ની મદદ એ આવી માનવ સેવા કાર્ય કરી રહી છે ત્યારે મોરબી ખાતે સામાકાંઠા વિસ્તારમાં પણ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સેવકો ભરપેટ ભોજન કરાવતા જોવા મળી રહ્યા છે ત્યારે ગુજરાતમાં હાલ કોરોના મહામારી અને આપત્તિજનક વાવાઝોડામાં સરકારી અધિકારીઓ દ્વારા લોકોને સ્થળાંતર કરવામાં આવી રહ્યા છે જેને ભરપેટ ભોજન મળે એ માટે સરકારી અધિકારીઓ કર્મચારીઓ સહિત નામી અનામી સેવાભાવી સંસ્થાઓ માનવસેવાના કાર્યમાં લાગી ગયા છે વરસાદ અને વાવાઝોડા મા માનવોને હાલાકી ન પડે તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે ત્યારે મોરબી ખાતે સામાકાંઠા વિસ્તારમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા વાવાઝોડામાં સ્થળાંતર થયેલા માનવોની મદદે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા ભરપેટ ભોજન કરાવવા ની વ્યવસ્થા કરી ભોજન કરાવવામાં આવી રહ્યું છે જે તસવીરમાં નજરે પડે છે.
રિપોર્ટ:આરીફ દિવાન મોરબી