
જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના ખારચિયા ગામના વતની અને હાલમાં જામનગર શહેર માં રહેતા.રાજેન્દ્રસિંહ બી. જાડેજા પોતે આજે ખારચિયા ગામે થી જામનગર જવા માટે નીકળ્યા હતા. અને કેશિયા ગામના પાટિયા પાસે બાઇક સ્લિપ થતા. પડી ગયા હતા. અને નાની મોટી ઇજાઓ થઈ હતી. અને તરતજ 108 ની મદદથી નજીકની જોડિયા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ સમયે 108 ના કર્મચારીઓ દ્વારા જાડેજા અંગત અને ખાસ ડોક્યુમેન્ટમાં એક બેન્ક ની પાસ બુક અને ચેક બુક અને એક મોબાઈલ અને 40.000 હજાર રૂપિયા રોકડા મળી આવતા. 108 ના પાઇલોટ રાજદીપસિંહ જાડેજા અને EMT અલ્પેશભાઈ દેસાઈ આ બન્ને વ્યક્તિ એ મૂળ માલિક પરત આપેલ છે. તો 108 ના બન્ને કર્મચારીઓ ની પ્રામાણિક તા ઉમદા ઉદાહરણ પૂરૂં પાડેલ છે. તો મૂળ માલિક દ્વારા બન્ને કર્મચારીઓ નો ખૂબ ખૂબ આભાર માન્યો હતો…..
શરદ એમ.રાવલ.. હડિયાણા…
