
*શ્રી લોહાણા મહાજન વાડી, સુધારાવાડી શેરી ખાતે દરરોજ સાંજે ૬ થી ૭:૩૦ દરમિયાન વિતરણ થશે*
મોરબી ઠા. કરશનભાઈ મેઘજીભાઈ કોટક એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ તથા શ્રી લોહાણા વિદ્યોતેજક ફંડ દ્વારા લોહાણા સમાજ ના ધો-૫ થી કોલેજ સુધી ના વિદ્યાર્થી ભાઈઓ-બહેનો માટે વિનામુલ્યે ફુલ સ્કેપ નોટબુક વિતરણ તા.૩૦-૬-૨૦૨૧ બુધવાર થી દરરોજ સાંજે ૬ થી ૭:૩૦ કલાક દરમિયાન શ્રી લોહાણા મહાજન વાડી, સુધારાવાડી શેરી ખાતે થી કરવા મા આવશે. જેમા વિદ્યાર્થી એ વર્ષ ૨૦૨૦ ની માર્કશીટ ની ઝેરોક્ષ સાથે રાખવા ની રહેશે. તેમ શ્રી ગીરીશભાઈ ઘેલાણી તથા નિકુંજભાઈ કોટકે યાદી મા જણાવ્યુ છે.
લી.
નિર્મિત કક્કડ
મંત્રી
શ્રી લોહાણા વિદ્યાતેજક ફંડ
મોરબી
