મોરબી માળીયા ના ધારાસભ્ય શ્રી બ્રિજેશ મેરજા અને પાટણ ડી ડી ઓ શ્રી રમેશ મેરજા ના કાકા શ્રી સુંદરજીભાઈ માવજીભાઈ મેરજા નું 85 વર્ષ ની વયે દુઃખદ અવસાન થયું છે, શ્રી સુંદરજીભાઈ મેરજા ચમનપર ગામના બિનહરીફ સરપંચ તરીકે તેમજ શ્રી માળીયા તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ ના ડાયરેક્ટ તરીકે સેવા આપી હતી, માળીયા તાલુકા માં તેમનું નામ એક નીડર આગેવાન તરીકે હોસભેર લેવાતું હતું, માળીયા ના કાંઠા ના ગામો ના ખેડૂતો ને રોઝ ના ત્રાસ માંથી ઉગારવા 1994 માં ઉપવાસ સાથે ખેડૂત આંદોલન કરેલું, તત્કાલીન કલેકટર શ્રી જગદીશન ચમનપર દોડી આવેલ, ખેડૂતો ને રોઝ ના ત્રાસ માંથી ઉગારવા ખાત્રી આપતા તેમના હાથે પારણાં કર્યાં હતા.તેમના અવસાન થી મોરબી પંથકે એક સેવા ભાવિ અને જાગૃત ખેડૂત આગેવાન ગુમાવ્યા છે,ચમનપર ગામે તેમના અંતિમ સંસ્કાર માં ધારાસભ્ય શ્રી બ્રિજેશ મેરજા, IAS શ્રી રમેશ મેરજા જોડાયા હતા.
