
મોરબી શહેરમાં ઘરનું ઘર યોજના અંતર્ગત પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ૬૮૦ જેટલા કોટર ફાળવવામાં આવ્યા છે જેમાં ૧૬ જેટલા કોટર મેળવનાર શખ્સોએ ભાડે આપ્યા હોય તેની સામે તંત્રએ લાલ આંખ કરતા મોરબીમાં ખળભળાટ વ્યાપી ગયો છે મોરબી ખાતે આવેલ પ્રધાનમંત્રી આવાસ યોજના કોટર ના મકાન લાભાર્થીઓ એ ભાડે આપી દેતા ઘરનું ઘર ધારકોને પાલિકા તંત્ર દ્વારા નોટિસ પાઠવવામાં આવી છે
જે અંગેની જાણવા મળતી વિગત એવી છે કે મોરબી શહેરના વિવિધ વિસ્તારોમાં રાજ્ય સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત જરૂરત મંદ મધ્યમ વર્ગના લોકોને ઘરના ઘરની યોજનામાં સમાવેશ કરી પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત મકાનનો ફાળવવામાં આવ્યા હતા જેમાં ૧૬ જેટલા મકાન ધારકોએ ભાડે મકાન આપી દેતા પાલિકા તંત્ર દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેથી સાત દિવસના સમયગાળામાં દંડની રકમ અને ઘરના ઘર માં રહેવાની જાય તો તંત્ર દ્વારા મકાન કબજે કરવા સુધીની નોટિસ પાઠવવામાં આવ્યા નું જાણવા મળ્યું છે
