શરદ એમ.રાવલ.. હડિયાણા

આપ સૌ જાણો છો કે શરીરની રોગપ્રતિકારક શક્તિ માં ઘટાડો થવાને કારણે TB રોગ થવાની સંભાવના વધી જાય છે. જો નિયમિત અને પૂરતા સમય TB ની દવા અને પૂરતા પ્રમાણમાં પોર્ટિંન અને વિટામિન મળે તો TB રોગ નાબૂદ વહેલી તકે થાય છે. તેથી આપણા જિલ્લામાં નામાંકિત ન્યારા એનર્જી દ્વારા આપ સૌ જરૂરીયાત મદ ને સહ પ્રમાણસર પોસણ મળી રહે તે શુભહેતુથી નિષ્ણાતો દ્વારા તૈયાર કરવામાં આવેલ પ્રમાણસર મુજબની રાશન કીટનું જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના પીઠડ ગામે આજ રોજ જામનગર જિલ્લા ક્ષય અધિકારી ડો.ભારતીબેન ધોળકિયા ના અધ્યક્ષ સ્થાને TB ના સારવાર મેળવેલા દર્દીઓને ન્યારા એનર્જી કંપની દ્વારા પોષણ કીટ વિતરણ કરવામાં આવી હતી. જેથી દર્દીઓને સમયસર પ્રમાણસર પોષણ મળી શકે. આ કાર્યક્રમમાં જોડિયા તાલુકા હેલ્થ ઓફિસર ડો.અલ્તાફ મલેક સાહેબ અને TB સુપરવાઈઝર નિકુંજભાઈ પાગડાર (RBSK)ની ટિમ (TMPS) ની ટીમ પણ હાજર રહ્યા હતા.અને આ કિતમા ચોખા. મલ્ટીગ્રેન આટા. મગદાણા.દેશી ચણા. તેલ. ગોળ જેવી રાશન કિટ તૈયાર કરી ને દર્દીઓને વિતરણ વ્યવસ્થા કરવામાં આવી હતી…..


