શરદ એમ.રાવલ.. હડિયાણા..


તારીખ 1.08.21 થી તારીખ 9.08.21 સુધી ગુજરાત સરકાર શ્રી ને પાંચ વર્ષ પૂર્ણ થતા દરરોજ અલગ અલગ દિવસની ઉજવણી કરવામાં આવે છે જે અંતર્ગત આજ રોજ તારીખ 2.08.21 ના રોજ જોડિયા તાલુકાના જામ દુધઈ ગામમાં સેવસેતુ કાર્યક્રમ યોજવામાં આવેલ છે.
આ કાર્યક્રમ અંતર્ગત પશુ પાલન વિભાગ જોડિયા દ્વારા પશુ આરોગ્ય મેળા નું આયોજન કરેલ જેમાં કુલ 122 પશુઓ ની સારવાર કરવામાં આવી તથા દવા પૂરી પાડવામાં આવી.
કેંદ્ર સરકારશ્રી ના દરેક પશુઓ ને ઓળખ મળે એ હેતુથી 12 આંકડા નો યુનિક આઈ ડી નંબર ના ટૅગ લગાવવામા આવ્યા.
જોડિયા તાલુકાના કુલ 78% પશુઓને ટેગીગ કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.પશુ આરોગ્ય અધિકારી અને તેમની
ડો. કે. એન. ખીમાણિયા..શ્રી.એચ.જે.કેલા.અને ભાર્ગવ ખીમાણિયા અને ભીખુભાઇ કબીરા ની ટીમ
હાજર રહ્યા હતા…

