

વાંકાનેર ખાતે આવેલા જાલી ગામમાં ઉત્સાહભેર ગણતંત્ર દિન સરકારની ગાઇડ લાઇન અનુસાર ઉજવવામાં આવ્યો છે જેમાં સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકો વિદ્યાર્થીઓ અને ગામના અગ્રણીઓ આગેવાનો સરપંચ સહિત ના આ ગણતંત્ર દિન નિમિત્તે ગણતંત્ર દિનની ઉત્સાહભેર ઉજવણી માં સહભાગી બન્યા હતા જેમાં તિરંગાને સર્વે શિક્ષકો સાથે વિદ્યાર્થીઓ સલામી આપી રાષ્ટ્રીય અને કોરોના મહામારી અંતર્ગત ફરજ ના ભાગે કામગીરી કરનાર સંસ્થાઓ સરકારી કર્મચારીઓ નું સન્માન કરવામાં આવ્યું હતું અત્રે નોંધનીય છે કે શાળાએ સંસ્કાર નું મંદિર એ મંદિરમાં શિક્ષણની સાથે સાથે પરિવારિક સંસ્કારીક સાથે શિક્ષણ આપી વિદ્યાર્થીઓને ગુણવાન બનાવવાના પ્રયાસો શિક્ષક ખુદ વિદ્યાર્થી બની બાળકોને ઉત્સાહભેર શિક્ષણ તરફ આજના આધુનિક યુગમાં કદમ થી કદમ મિલાવી શકે અને જાલી ગામ અને તેની શાળાનું ગૌરવ વધે તેવા હેતુસર દરેક વિદ્યાર્થીને ગુણવાન વિદ્યાવાન સાથે રાષ્ટ્ર હિત સમાજ હિત પરિપક્વ બનાવવા માટે આજના ગણતંત્ર દિન નિમિત્તે શિક્ષકોએ શુભેચ્છાઓ સાથે અભિનંદન ઇનામ આપી પ્રોત્સાહિત કર્યા હતા અને જોગાનુંજોગ જાલી ગામ ના મહિલા સરપંચના પતિ પ્રવીણ ભાઈ ના જન્મદિવસ હોવાથી તેઓને પણ શુભેચ્છા અભિનંદન આ ગણતંત્ર દિન નિમિત્તે શુભેચ્છા અભિનંદન પાઠવી નાના એવા ગામમાં મોટી સંસ્કારીક શબ્દોની વિદ્યાર્થીઓને જ્ઞાન આપવાનું કાર્ય શિક્ષક કદી ભૂલતો નથી એવું જ કાંઈક આજે પવિત્ર દિવસ નિમિત્તે જાલી ગામની સરકારી પ્રાથમિક શાળામાં જોવા મળી છે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આચાર્ય શ્રી ચૌહાણ અરૂણાબેન,તથા શિક્ષકો હેમંતભાઈ સરવૈયા, નિતાબેન માલકીયા,હેતલબેન, મુકેશભાઇ,નસીમબેન,સુનિતાબેન, પંકજભાઈ,થાવરાભાઈ વગેરે સારી એવી જહેમત ઉઠાવી હતી જે સમગ્ર કાર્યક્રમ તસવીરમાં નજરે પડે છે
