
ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ બન્યા બાદ મા અંબાનાં દર્શન કરી કચ્છમાં જતાં ડો.નીમાબેન આચાર્યે ડીસા જલારામ મંદિરે દર્શન કરવા ટૂંકું રોકાણ કરતાં તેમનું રઘુવંશી લોહાણા સમાજ,જલારામ ટ્રસ્ટ,ડીસા નગરપાલિકા,શહેર ભાજપ સહિત વિવિધ સંસ્થાઓ દ્રારા ભવ્યાતિભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું.આ અવસરે જલારામ ટ્રસ્ટના પ્રમુખ કનુભાઈ આચાર્ય,મંત્રી શશીકાંતભાઈ ઠકકર,ડીસા નગરપાલિકા પ્રમુખ રાજુભાઈ ઠકકર,રઘુવંશી સમાજના અગ્રણીઓ ભગવાનભાઈ બંધુ,નટુભાઈ આચાર્ય,ડો.કિશોરભાઈ આસનાની,જગદીશભાઈ પૂજારા,ડાયાભાઈ એચ.ઠકકર,દયારામભાઈ આર.ઠકકર,લીલાધરભાઈ આચાર્ય,મહેશભાઈ ઉડેચા,મુકેશભાઈ આચાર્ય,દીલીપભાઈ વકીલ,રાજુભાઈ નોટરી,દિનેશભાઈ ચોકસી,પ્રકાશભાઈ મેડીકલ,આનંદભાઈ ઠકકર,ગોવિંદભાઈ ભાગચંદાણી,શાંતિભાઈ વકીલ,પ્રહલાદભાઈ એ.ઠકકર પાલનપુર મહાજન અગ્રણીઓ ડો.વસંતભાઈ ગણાત્રા,મહાસુખભાઈ પૂજારા,ગીરીશભાઈ રૈયા,જસુભાઈ ઠકકર,ડીસા શહેર ભાજપ પ્રમુખ પ્રતિકભાઈ પઢિયાર,મહામંત્રીઓ હકમાજી જોષી,રાકેશભાઈ પટેલ,કારોબારી ચેરમન જેકીભાઈ જોષી,મહિલા અગ્રણીઓ શારદાબેન કાનાબાર,પૂજાબેન ઠકકર,રક્ષાબેન સેજાણી,વિશ્ર્વ હિંદુ પરિષદ પ્રમુખ જયેશભાઈ દેસાઈ,કલા સૃષ્ઠિ ફાઉન્ડેશનના ચંદુભાઈ એટીડી,વિચરતી જાતિઓના અગ્રણી ઈશ્ર્વરભાઈ રાવળ,રોટરી કલબના પ્રમુખ ડો.પી.પી.ઠકકર સહિત અંદાજે 125 જેટલા આગેવાનોએ ખાસ હાજર રહી નીમાબેન આચાર્યનું સન્માન કરી શુભેચ્છાઓ પાઠવી હતી.ડો.નીમાબેન આચાર્યે પણ અધ્યક્ષ તરીકેની જવાબદારી સૌના સહકારથી સફળ રીતે નિભાવવાની ખાત્રી આપી હતી અને ડીસા રઘુવંશી લોહાણા સમાજ તેમજ વિવિધ સંસ્થાઓ દ્રારા સન્માન કરવા બદલ ૠણ સ્વિકારની લાગણી વ્યકત કરી હતી.સમગ્ર કાર્યક્રમનું સંકલન-સંચાલન ભગવાનભાઈ બંધુએ કર્યું હતું.
