શાળાએ સંસ્કાર નું મંદિર છે જ્યાં વિદ્યાર્થીઓને શિક્ષણ ક્ષેત્રે સામાજિક ક્ષેત્રે અને પરિવારિક સંસ્કારીક નું સૂચન કરવામાં આવે છે સાથે સાથે પર્યાવરણ જતન પ્રજાહિત રાષ્ટ્રહિત વિદ્યાર્થીઓને બનાવવા માટે શિક્ષકોનો મોટાભાગે સ્વભાવ રહ્યો છે ત્યારે પરિસ્થિતિને ધ્યાને રાખી શાળા સ્કૂલ કોલેજમાં વિવિધ કાર્યક્રમો અવારનવાર યોજાતા હોય છે ત્યારે તાજેતરમાં જ ગઢડા ખાતે 152 મી ગાંધી જન્મ જયંતિ નિમિત્તે શ્રી સ્વામિનારાયણ મહિલા કોલેજ ગઢડા (સ્વા.)પરિવાર દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ રાખવામાં આવેલ હતો જેમાં વિવિધ વૃક્ષો ઉછેરવાનો સંકલ્પ લીધો હતો વિદ્યાર્થીઓ અને કાર્યક્રમમાં હાજર રહેલા મહેમાનોએ હતા. આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે અમિતભાઈ મંડીર , ઉદેશભાઇ તમામ વિદ્યાર્થીનીઓ તથા શિક્ષકો ટ્રસ્ટીઓ સહીત સમગ્ર સ્ટાફ સારી એવી જહેમત ઉઠાવી હતી. જે તસવીરમાં નજરે પડે છે