મોરબી : રાજકોટ રેન્જ આઈજી દ્વારા આજે 40 જેટલા એએસઆઈને પીએસઆઈ તરીકે હંગામી પ્રમોશન આપતા ઓર્ડર કર્યા છે. જેમાં મોરબીના પણ 5 એએસઆઈને પ્રમોશન મળ્યું છે. રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં જ હંગામી ધોરણે પીએસઆઈની ઘટ થતા પોલીસ વિભાગમાં ફરજ બજાવતા એએસઆઈને કરાર આધારિત હંગામી ધોરણે મર્યાદિત સમય પૂરતા પીએસઆઈ બનાવવામાં આવ્યા છે. જેમાં રાજકોટ ગ્રામ્યના 12, જામનગરના 11 મોરબીના 5, સુરેન્દ્રનગરના 7, દેવભૂમિ દ્વારકાના 5, એએસઆઈ હવે બઢતી પામી પીએસઆઈ બન્યા છે. આ બઢતી કરાર આધારીત રહેશે. રાજકોટ રેન્જ આઇજી સંદિપસિંઘે આ બઢતીના હુકમો આપ્યા છે.
જેથી હવે મોરબી જિલ્લામાં ફરજ બજાવતા એએસઆઈ રાજદીપસિંહ પી. રાણા, વનરાજસિંહ એ. રાણા, પરાક્રમસિંહ પી. ઝાલા, હરેશભાઈ જે. ચાવડા અને ઇન્દ્રવદનભાઈ એમ. અજમેરી પીએસઆઈ તરીકે ફરજ બજાવશે.
