🙏 દિવ્ય પદયાત્રા(શુભારંભ તારીખ 3-2-2022 ગુરૂવાર)🙏
આજ તારીખ 17-2-2022 જલારામ બાપાના પરમ પવિત્ર વાર ગુરૂવારે જલારામ બાપાના આશીર્વાદ પામવા સાંજે ચાલો ચાલતા જઈએ જલારામ મંદિર ડીસા ખાતે..
આપ આપના નિવાસસ્થાનથી ચાલતા આવો અને બીજા જલારામ ભકત ભાઈઓ અને બહેનોને પણ ચાલતા આવવા જાણ કરો..
મહા આરતી સમય સાંજે 6=45 વાગે..એ પહેલાં અચૂક આપના નિવાસસ્થાનેથી ચાલતા પધારો અને બાપાની મહા કૃપા મેળવો…સ્વ તંદુરસ્તી,પરિવારની સુખાકારી,સારૂ જીવન આપવા બદલ પરમાત્માનો આભાર માનવો,ડીસા ઉપરાંત સમગ્ર ભારત કોરોના મુકત થાય તેમજ પૂજ્ય જલારામ બાપાના દરબારમાં સત્કાર્યો અર્થે આપણી શકિત ખર્ચાય તેવા ઉમદા હેતુઓ સાથેની આ પદયાત્રામાં દર ગુરૂવારે જોડાવું એ જીવનનો એક અમૂલ્ય લ્હાવો છે.
આપ આવો અને બીજા દસને પદયાત્રામાં સાથે લેતા આવો..
બહેનો પણ મોટી સંખ્યામાં આવી રહી છે..માતૃશકિતને વંદન..
દર ગુરૂવારે સવારે આવતા પદયાત્રીઓને પણ અભિનંદન.
ભગવાનભાઈ બંધુ ડીસાના બાપા સીતારામ જય જલારામ
