
સેવા શબ્દ ને જેમ ને સાર્થક કર્યો છે જેમનું રામ સેવક તરીકે સમગ્ર ગ્રામજનો દ્વારા સનમાન થયેલું તેવા સ્વર્ગીય ગલબા ભાઈ રાવળ ના ધર્મ પત્ની સમુબેન ગલબા ભાઈ રાવળ નું નિધન થયેલ છે તેઓ તેમના સમગ્ર પરિવાર ની જેમ સેવાકીય પ્રવૃત્તિઓમાં જોડાયેલા હતા તેમના નિવાસસ્થાન સામે નિરાંત આશ્રમમાં આવતા સંત મહાત્માઓ ભાવિક ભક્તો નું ભક્તિભાવથી ખૂબ જ અનેરી સેવા કરતા હતા સવારમાં નિરાત આશ્રમ માં આવેલ ચબુતરા માં પક્ષીઓને ચણ આપવું તે તેમની પ્રાથમિકતા હતી આવી અનેકવિધ સેવાકીય પ્રવૃતિઓ તેમના થકી થતી હતી જેના કારણે તેઓ ખૂબ મોટી લોકચાહના ધરાવતા હતા તેમની સેવાકીય પ્રવૃત્તિઓ ને ક્યારેય ભૂલી શકાય તેમ નથી તેમના નિધનથી તેમના પરિવાર સહિત તમામને ખૂબ મોટી ખોટ પડી છે જે ખોટ ક્યારેય પુરાય તેમ નથી
રાવળ યોગી સમાજ વડગામ વાડીના પૂર્વ મંત્રી રમેશભાઈ રાવળ
રાવળ યોગી સમાજ ઉત્કર્ષ મંડળ ના પ્રમુખ અને અનેકવિધ સેવાકીય પ્રવૃતિઓ સાથે જોડાયેલા ઈશ્વર ભાઈ રાવળ
સમાજ સેવક રેવાભાઇ
રાવળ
અને હાલમાં શ્રીજી.જે.પટેલ વિદ્યાલય હાઈસ્કૂલમાં સેવક તરીકે સફળતા પૂર્વક ની કામગીરી કરતા કેશાભાઈ રાવળ ના માતૃશ્રી હતા
તેમનું બેસણું સમાજના રીતરિવાજ મુજબ જલોત્રા ખાતે તેમના નિવાસસ્થાને તારીખ 26/2/2022 ને શનિવારના રોજ રાખેલ છે
