ટંકારા : શ્રી ઠાકોરજીની પ્રેરણા તથા અસીમ કૃપાથી અને વૈષ્ણવો ના સહયોગથી જૂની હવેલીના જીર્ણોદ્ધાર નું કાર્ય પૂર્ણ થયેલ છે.
જૂની હવેલી માં દરવાજા બારી જર્જરિત થઈ ગયેલ તળિયા ની ટાઇલ્સ તૂટી ગયેલ તેમજ પ્લાસ્ટર , કલર ઉખડી ગયેલ.
જૂની હવેલી, નવી હવેલી , નિજ ઘર , પ્રસાદ ઘર ,રસોઈ ઘર , તોષાખાનુ વીગેરે નું રીનોવેશન કરાયેલ છે. પ્લાસ્ટર ,ટાઇલ્સ બારી બારણા વીગેરે નવાં બદલાવી કલર કામ કરેલ છે.
શ્રી ઠાકોરજી માટે સુંદર બગીચા નું તથા બગીચામાં આરસનું સુંદર સિંહાસન બનાવેલ છે . ગ્રીષ્મ ઋતુમાં ઠાકોરજી બગીચામાં બિરાજમાન થશે. વૈષ્ણવો ને અલૌકિક દર્શન નો લાભ મળશે જૂની તથા નવી હવેલીના કલર કામ કરાવેલ છે
આ પ્રસંગે યમુનાષ્ટક ના 108 પાઠ કરાયેલ. તેમાં મોરબી તથા સ્થાનિક વૈષ્ણવ બહેનોએ બહોળી સંખ્યા માં ઉમંગભેર ભાગ લીધેલ.
