*રિપોર્ટર શબ્બીર ભાઈ સેલોત કોડીનાર*
કોડીનાર તાલુકા ના છાછર ગામ માં તારીખ ૨૪/૪/૨૦૨૨ ને રવિવાર ના રોજ બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમા નું ધામ ધૂમ થી અનાવરણ નો કાર્યકમ નું ગામ લોકો દ્વારા આયોજન કરવામાં આવ્યું છે જય ભીમ નમો બુધ્ધાય સાથ જણાવતા અનેરા ઉત્સાહ સાથે આનંદ થાય છે કે મુળનિવાસી સમાજના ઉધ્ધારક, વિશ્વવિભૂત, વિશ્વપ્રતિક, નારીના મુક્તિદાતા, ભારતરત્ન, બંધારણના ઘડવૈયા અને રાષ્ટ્રનિર્માતા ડૉ બાબા સાહેબ આંબેડકરના ૧૩૧માં જન્મ દિવસ નિમિતે સમસ્ત છાછર ગામના મુળનિવાસી સમાજના રહેવાસીઓ દ્વારા ડૉ બાબા સાહેબની પ્રતિમાનું અનાવરણ કરવા માટે પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સમસ્ત મુળનિવાસી સમાજના બધા જ ગામડાઓ, તાલુકા, જીલ્લાના મુળનિવાસી નાયકોના વારસદારોને સહ પરિવાર સાથે હાજરી આપવા છાછર ગામ ના સરપંચ અને ઉપસરપંચ દ્વારા ભાવભર્યું આમત્રણ આવવામાં આવ્યું હતું જેમાં છાછર ગામ થી કોડીનાર સુધી બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં કોડીનાર ખાતે બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને સલામી આપવામાં આવશે અને સાથે સાથે છાછર ગામ માંથી સરકારી નોકરીમાં નવા લાગેલા કર્મચારીઓનો સન્માન સમારંભ નો પ્રોગ્રામ પણ રાખવામાં આવ્યો છે અને ગામ માં પગપાળા રેલી કાઢવામાં આવશે કાર્યક્રમની રૂપ રેખા આ પ્રમાણમાં રહેશે
ગામ: છાછર તા: કોડીનાર જી: ગીર સોમનાથ
તારીખ : ૨૪/૪/૨૦૨૨ વાર : રવિવાર
ડૉ બાબા સાહેબ પ્રતિમા અનાવરણ
સમય : સવારે ૦૯:૦૦ થી ૧૧:૦૦
ગામમાં પગપાળા રેલી
સમય : બપોરે ૧૧:૦૦ થી ૦૨:૦૦
છાછર થી કોડીનાર બાઈક રેલી
કોડીનાર ડૉ બાબા સાહેબ આંબેડકરજી ની પ્રતિમાને સલામી આપવામાં આવશે
સમય : ૦૪:૦૦ થી ૦૬:૦૦
છાછર ગામમાંથી સરકારી નોકરીમાં નવા લાગેલ કર્મચારીનો સન્માન સમાંરભ
સમય : રાત્રે ૦૮:૦૦ થી ૧૦:૦૦
ગોઠવામાં આવશે
