કાંકરેજ તાલુકાના કાકર ખાતે વાદી વસાહત તેમજ વિચરતી વિમુકત જાતિના પરિવારોને પોતાનું ઘર મળે તે માટે ગુજરાત સરકાર પ્રયત્નશીલ હતી.આ માટે સરકારે આ પ્રોજેક્ટ પૂર્ણ કરતાં મુખ્યમંત્રી પોતે કાકર પધાર્યા હતા.
કાકર જવા માટે સમગ્ર ઉતર ગુજરાતમાંથી વિચરતી વિમુકત જાતિનાં પરિવારો ઉમટી પડયાં હતાં.આમાંના કેટલાક પરિવારો માટે થરા જલારામ મંદિર ખાતે ચા,પાણી,વિસામાની ઉતમ વ્યવસ્થા કરવામાં આવી હતી.બાઈક રેલી સાથે નીકળેલા વિચરતી વિમુકત જાતિના બજાણીયા યુવાનોએ થરા જલારામ મંદિરે પૂજ્ય જલારામ બાપાનાં દર્શન કરી આશીર્વાદ લઈ કાકર જવા રવાના થયા હતા.થરા જલારામ મંદિર ખાતે વિચરતી વિમુકત જાતિનાં કેટલાંક પરિવારોનું સ્વાગત કરી તેમની સગવડ સચવાય તેવી વ્યવસ્થા જલારામ મંદિર થરાના સૌ ટ્રસ્ટીઓ દ્રારા કરાતાં તમામ પરિવારોએ રાજીપો વ્યક્ત કર્યો હતો.
