શરદ એમ.રાવલ..
હડિયાણા….
આજ તા.14.07.2022 ના જોડિયા તાલુકાના કુનડ ગામે શ્રી કુંડલીયા હનુમાનજી મંદિર ના મહંત શ્રી જગદેવદાસજી બાપુ ની સાતમી પૂણ્ય તિથિ નિમિત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી…
જોડિયા તાલુકાના કુનડ ગામે શ્રી કુંડલીયા હનુમાનજી મંદિર ખાતે છેલ્લા ( 50)વર્ષ થી સેવા પૂજા કરતાં હતા.. તેમનો સકેતવાસ અસાઢ વદ (1)ને તા.20.07.2016 ના રોજ થયેલ છે. જેમની આજે સાતમી પૂણ્ય તિથિ નિમિત્તે મંદિર ખાતે 1008 શ્રી મહંત અવધેસદાસજી મહારાજ બાપુના સાનિધ્યમાં સંતો. મહતો.ની પધરામણી.. બ્રાહ્મણ અને ગ્રામજનો મહંત શ્રી નું પૂજન અર્ચના કરવામાં આવેલ.અને બપોરના સમયે સમૂહ મહાપ્રસાદ નું ભવ્ય આયોજન કરાયું હતું..
શ્રી કુંડલીયા હનુમાનજી મંદિર ના હાલના મહંત શ્રી 1008 શ્રી અવદેશદાસજી બાપુના સાનિધ્યમાં કાર્યક્રમ યોજાયો હતો……
