
રાજ્ય સરકાર દ્વારા આજે જ સરકાર માન્ય એક્રેડિટેડ પત્રકારોને માત્ર સાદી એસ.ટી. બસમાં જ મુસાફરી કરવા દેવામાં આવતી હતી જેના બદલે હવે તમામ પ્રકારની સરકારી એસ.ટી. બસ જેવી કે એસી બસ, વોલ્વો બસ અને અન્ય તમામ પ્રકારની એક્સપ્રેસ બસોમાં એક્રેડિટેશન કાર્ડના માધ્યમથી નિઃશુલ્ક મુસાફરી કરી શકશે. પત્રકાર એકતા પરિષદ દ્વારા સત્તાપક્ષ દ્વારા કરાયેલ વારંવાર અને ઠોસ રજૂઆતને પગલે આજરોજ તા. 02-09-2022ના રોજ રાજ્ય સરકાર દ્વારા આ પરિપત્ર જાહેર કરવામાં આવેલ છે. આ આપણા સંગઠનની નૈતિકતાનો પ્રબળ પુરાવો છે.
