રિપોર્ટર::શરદ એમ.રાવલ.
તા.જોડિયા.જી.જામનગર.
ગામ::હડિયાણા…………
જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના નાનકડા ગામ એવું લિબુડા ગામના વતની અને હાલમાં જામનગર શહેરમાં રહેતા.
શ્રી કાનજીભાઈ બી પનારા નિવૃત્ત એ.એસ.આઇ જામનગર ટ્રાફિક શાખામાંથી એપ્રિલ 2019 ના રિટાયર્ડ થયા પછી પણ ટ્રાફિક અવેરનેસ અને વ્યસન મુક્તિ અંગેની ઝુંબેશ ચાલુ રાખી નિવૃત્ત હોવા છતાં પ્રવૃત્તિ રહી પોતાનું આનંદમય જીવન વિતાવી રહ્યા છે અને તેઓ 62 માં વર્ષે પણ તંદુરસ્ત રહી આ કામગીરી કરે છે અને જામનગર જિલ્લા ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટમાં માનદ સેવા આપે છે. તેઓએ લાંબા સમય સુધી જામનગર ટ્રાફિક શાખામાં સેવા આપેલ હતી તેઓની આ કામગીરીની નોંધ જૈન એજ્યુકેશન ટ્રસ્ટ ના ડોક્ટર ભરતેશ શાહ દ્વારા લેવામાં આવેલ અને તેઓને “સલામતી અને સુરક્ષાની”નોંધપાત્ર સેવા બદલ એવોર્ડ એનાયત થયેલ છે તેઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ…………..
