

સમગ્ર ઉતર ગુજરાતના પ્રસિદ્ધ સેવાધામ એવા ડીસા જલારામ મંદિરે દર ગુરૂવારે દર્શનાર્થીઓની ભીડ જામે છે. તારીખ 22-9-2022 ગુરૂવારે નાડોદા રાજપૂત સમાજ,રાવળ દેવ સમાજ,વણઝારા સમાજ,ચાહત આનંદ ગરબા મંડળ,ટ્રાન્સપોર્ટ કમીશન એજન્ટ એસોસિએશન,સુવર્ણકાર એસોસિએશન તેમજ સીગોરામ ગ્રુપ ઓફ રાણપુરના અગ્રણીઓ મંદિરે પધાર્યા હતા.
આ અવસરે સર્વ રવજીરામ મહારાજ,અમૃતરામ મહારાજ,હરજીરામ મહારાજ,ચુનીલાલ મહારાજ,ગોવિંદભાઈ રાવળ,રાણાભાઈ રાવળ,અશોકભાઈ રાવળ,કિરણભાઈ રાવળ,નરસિંહભાઇ વાઢેર,કનુભાઈ પરમાર,ભાવેશભાઈ ચાવડા,રમેશભાઈ વાઢેર,વિપુલસિંહ ડોડીયા,મણીભાઈ પટેલ,વાલાભાઈ વણઝારા,રોનકભાઈ પુરોહિત,તુલસીભાઈ પલણ,જીગ્નેશભાઈ પૂજારા,નીરૂબેન પૂજારા,ઠકકર,નીમુબેન ઠકકર,સુમિત્રાબેન કીરી,રિન્કુબેન,સોનલબેન,કમલેશભાઈ દેસાઈ સહિત વિવિધ અગ્રણીઓનું જલારામ દર્શન ગ્રંથ તેમજ ફૂલછડીથી દબદબાભેર સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રેરણાદાયી પ્રસંગે જલારામ ભકતો સર્વ કનુભાઈ આચાર્ય,ભગવાનભાઈ બંધુ,શંકરભાઈ કતીરા,આનંદભાઈ પી.ઠકકર,ચંદુભાઈ એટીડી,મહેશભાઈ ઉડેચા,દેવચંદભાઈ એન.ઠકકર,મહેશભાઈ મનવર,કમલેશભાઈ રાચ્છ,હસમુખભાઇ પોપટ,દીલીપભાઈ રતાણી ,ઈશ્ર્વરભાઈ રાવળ,કાંતિભાઈ માળી,દિનેશભાઈ કવિરાજ સહિત અનેક જલારામ ભકતોએ ખાસ હાજર રહી સૌ મહેમાનોનું સ્વાગત તેમજ સન્માન કર્યું હતું.
ઉપસ્થિત અંદાજે 500 જેટલા જલારામ ભકતો તેમજ સન્માનિત મહેમાનોએ મહાઆરતી તેમજ ખીચડી-કઢી પ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.ડીસામાં પૂજ્ય જલારામ બાપાની જન્મજયંતિ ધામધૂમપૂર્વક ઉજવાય તે માટે પણ સમગ્ર સનાતન હિંદુ સમાજે તન-મન-ધનથી સહકાર આપવાની સંપૂર્ણ ખાત્રી આપી હતી.

