
વર્તમાન સમયમાં શિક્ષણનું વિશેષ મહત્વ છે ત્યારે થરાના કુંજ નિરંજનભાઈ ઠકકર/ગોકલાણીએ નીરમા યુનિવર્સિટિ અમદાવાદ ખાતેથી કોમ્પ્યુટર એન્જિનિયરનો કોર્સ સફળતાપૂર્વક પૂર્ણ કરેલ છે.
કુંજ ઠકકરનો અભ્યાસ પૂર્ણ થતાંની સાથે જ તેને બેંગ્લોરની ટેકીઓન કંપનીનો જોબ ઓર્ડર આવી ગયેલ છે.આ કંપનીમાં જાન્યુઆરી-2023 થી જૂન-20223 સુધી ઈન્ટર્નશીપ રહેશે અને ત્યારબાદ જુલાઈ-2023 થી માસિક અંદાજે એક લાખ ઉપરાંતના પગારથી નિયમિત જોબ ચાલુ થઈ જશે.
ખૂબ જ કઠીન મહેનત કરીને ઉચ્ચ અભ્યાસ કરનાર તેમજ બેંગ્લોરની કંપનીમાં જોબ મેળવનાર કુંજ ઠકકરે સમગ્ર રઘુવંશી લોહાણા સમાજ,થરા નગર,તેરવાડા કારભારી પરિવાર ઉપરાંત ગોકલાણી-સેજપાલ પરિવારનું ગૌરવ વધારેલ છે.
કુંજ ઠકકરના પિતા નિરંજનભાઈ ઠકકર તેમજ દાદા અચરતલાલ ઠકકર થરા જલારામ મંદિરના સમર્પિત કાર્યકરો છે.
