

આરોગ્ય ભારતી, પતંજલિ યોગ સમિતિ, વૈદિક યજ્ઞ સમિતિ, જેવી સંસ્થાઓ સાથે સંકળાયેલા અને રેવન્યુ બાર એસોસિયેશનના પ્રમુખ, સંજયભાઈ રાજપરા પરિવાર એ, આપણો દેશ હાલ આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે. ત્યારે યોગનું મહત્વ, કો-વેકશીન, તથા મતદાનનું મહત્વની સમજ આપતી રંગોળી બનાવી હતી. અને સંજયભાઈ રાજપરા એ અગાઉના વર્ષોમાં ભારતનો નકશો, ગુજરાતનો નકશો, ગાય બચાવો, પર્યાવરણ બચાવો, સ્વચ્છતા જાળવો, બેટી બચાવો ની થીમ ઉપર પ્રેરણાદાયી રંગોળીઓ બનાવી છે. જેની ન્યુઝ-મિડિયા તથા લોકોએ નોંધ લઈ સરાહના કરી છે.

