
ઉદેપુર રઘુવંશી લોહાણા સમાજ તેમજ ગુજરાતી સમાજ ઉદેપુરના અગ્રણી એવા કિરિટભાઈ કારિયાનું તાજેતરમાં જ 65 વર્ષની વયે દુઃખદ નિધન થતાં રાજસ્થાન સહિત સમગ્ર ઉતર ભારતના લોહાણા સમાજમાં ઘેરા આઘાતની લાગણી ફેલાઈ છે.
સદગત કિરિટભાઈ કારિયા વિશ્ર્વ લોહાણા મહાપરિષદ ઉતર ભારત ઝોનના પ્રમુખ અરવિંદભાઈ પોપટ (દિલ્હી) ના નેતૃત્વમાં રાજસ્થાન રીજીયન ના ચેરમેન તરીકે જવાબદારી સંભાળતા હતા.તેઓ ઉદેપુર ગુજરાતી સમાજમાં પણ ખૂબ જ સક્રિય હતા.વિશ્ર્વ લોહાણા મહાપરિષદના પ્રમુખ સતીષભાઈ વિઠલાણી,વરિષ્ઠ ઉપપ્રમુખો ધર્મેશભાઈ હરિયાણી,જીતુભાઈ નાશિક,જીતુભાઈ લાલ,મહામંત્રીઓ હરિશભાઈ ઠકકર,ડો.સુરેશભાઈ પોપટ,ખજાનચીઓ વસંતભાઈ અનારકટ,યોગેશભાઈ ઠકકર,ઉતર ભારત ઝોનના પ્રમુખ અરવિંદભાઈ પોપટ(દિલ્હી),ઉતર ગુજરાત ઝોનના પ્રમુખ ભગવાનભાઈ બંધુ સહિત વિવિધ અગ્રણીઓએ સદગત કિરિટભાઈ કારિયાને શ્રધ્ધાંજલી અર્પી એમના દિવ્ય આત્માને ચિરશાંતિ મળે તેમજ પરિવારજનોને આ કારમો આઘાત સહન કરવાની શકિત મળે તે માટે પરમાત્માને પ્રાર્થના કરેલ છે.સદગત કિરિટભાઈ મૂળ પોરબંદરના વતની હતા અને છેલ્લા 42 વર્ષથી વ્યવસાય અર્થે ઉદેપુર ખાતે સ્થાયી થયા હતા.તેમનાં ધર્મપત્ની પન્નાબેન કારિયા,પુત્ર વિવેકભાઈ,પુત્રી સપનાબેન સીમરીયા,પુત્રવધુ માનસીબેન કારિયા સહિત સમગ્ર પરિવારે દુખની આ વસમી વેળાએ સાંત્વના પાઠવનાર સૌ કોઈ પ્રત્યે ૠણ સ્વિકારની લાગણી વ્યક્ત કરેલ છે.
