
ચક્ષુદાન જાહેર કરતા ડીસાના અગ્રણી સમાજ સેવક ભગવાનભાઈ બંધુ
શ્રી રામ ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ દિવ્ય જ્યોતિ ચક્ષુ બેંક ડીસા દ્રારા સમર્પિત સમાજ સેવક મફતલાલ મોદી તેમજ ટીમના માધ્યમથી ચક્ષુદાન,અંગદાન,દેહદાનની જબરજસ્ત ઝૂંબેશ ચાલી રહી છે.મૃત્યુ પછી પણ કોઈકને ઉપયોગી થઈ શકાય તેવી ભાવનાથી ચાલતી આ કામગીરીને જબરજસ્ત જન પ્રતિસાદ મળી રહેલ છે.
ડીસામાં અનેક સત્કાર્યો સાથે સંકળાયેલ જાણીતા સમાજ સેવક,લેખક તેમજ નિવૃત ફોરેસ્ટ અધિકારી એવા ભગવાનભાઈ બંધુ તેમજ તેમનાં ધર્મપત્ની શ્રીમતી ચારૂબેન ઠકકરે ચક્ષુદાનની જાહેરાત કરતાં તેમના નિવાસસ્થાને જઈ મફતલાલ મોદી,કનુભાઈ આચાર્ય તેમજ નાથાલાલ ખત્રીએ તેમનાં ચક્ષુદાતા તરીકેનાં જરૂરી ફોર્મ ભરી અભિનંદન આપ્યા હતા.
રકતદાન,ચક્ષુદાન,અંગદાન તેમજ દેહદાન અંગે સમગ્ર માનવ સમાજમાં વિશેષ જાગૃતિની જરૂર છે ત્યારે આ બાબતે વિવિધ સંસ્થાઓ કે સમાજમાં કામ કરતા આગેવાનોએ ખૂબ જ ઉત્સાહથી આ ઝૂંબેશમાં જોડાઈ સૌને પ્રેરણા આપવાની તાતી જરૂરિયાત છે.


