• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: સુલતાનપુર પ્રાથમિક શાળા ‘મારી શાળા હરિયાળી શાળા’ અંતર્ગત વુક્ષારોપણ કરાયું*

આજ રોજ સુલતાનપુર પ્રાથમિક શાળામાં ‘ મારી શાળા હરિયાળી શાળા ‘ અંતર્ગત શાળા માં વુક્ષારોપણ કરવામાં આવ્યું હતું જેમાં અલગ અલગ પ્રકારના ફૂલ છોડ અને ઔષધિઓ નું રોપણ કરવામાં આવ્યું હતું આપણે જાણીએ છીએ તેમ છોડ માં રણછોડ નો વાસ હોય છે અને વન છે તો જીવન છે આ બાબતો ને મહત્વ આપી વુક્ષારોપણ કરવું ખૂબ જ જરૂરી છે ચોમાસાની સુંદર ઋતુ હોય અને તેમાં પણ વરસાદ ની રીમઝીમ મૌસમ હોય ત્યારે આ છોડ ખીલી ઉઠે છે આ બધી બાબતો ને ધ્યાનમાં રાખી શાળા માં બાળકો અને શિક્ષકો એ મળીને હરિયાળી શાળા અંતર્ગત વુક્ષારોપણ કર્યું હતું

Related posts

*HELLO MORBI:શ્રી એમડી સોસાયટી ટંકારા ખાતે સદગુરુ મિત્ર મંડળ ના સહયોગથી યોજાયેલ વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ માં 85 દર્દીઓએ લાભ લીધો*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:ખાનગી ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માંગતા યુવાનો માટે વાંકાનેર ખાતે ૨૦ માર્ચે ‘ઔદ્યોગિક ભરતી મેળો’ યોજાશે*

editor

*રાજકોટ-70માં ઓબીસી સમાજને ભાજપે ટીકીટ ન આપતા બેઠકોનો ધમધમાટ શરૂ : ભાજપ-રાજપા વખતે કાર્યાલયને તાળા મારનારાની કુંડળી ખુલી : બાપુની વફાદારીની પણ અવગણના* વીઓ_ રાજકોટ દક્ષિણ(70) બેઠક પરથી સમગ્ર વિશ્વકર્મા સહિતના ઓબીસી સમાજમાંથી ટીકીટની ભાજપ પાસે માંગણી કરનાર આપા ગીગાના ઓટલાના મહંત અને પૂર્વ ડે.મેયર નરેન્દ્રભાઇ સોલંકી (નરેન્દ્રબાપુ ગુરૂશ્રી જીવરાજબાપુ) અને તેમના ટેકેદારો ટીકીટનો હકક ન મળવાથી ઉકળી ઉઠયા છે. તેમના કાર્યાલય ખાતે વિશ્વકર્મા, કડીયા સમાજના આગેવાનોની મોટી મીટીંગ તાત્કાલીક મળી હતી અને આગેવાનોના આગ્રહથી તેઓએ ચૂંટણી લડવાનું ફોર્મ ઉપાડતા ભાજપમાં ખળભળાટ મચી ગયો છે. સમગ્ર સૌરાષ્ટ્રમાં એકેય જગ્યાએ વિશ્વકર્મા સમાજને અને સમગ્ર રાજયમાં કયાંય કડિયા સમાજને ભાજપે ટીકીટ આપી નથી આથી તા.14ના રોજ ફોર્મ ભરવાના છેલ્લા દિવસે અને તા.17ના રોજ ફોર્મ પાછા ખેંચવાના છેલ્લા દિવસ સુધીમાં અનેક નવા કડાકા ભડાકા થવાની આગાહી વરસી ગઇ છે. રાજકોટની આ બેઠક પરથી ઓબીસી સમાજમાંથી ટીકીટ આપવા નરેન્દ્રભાઇ સોલંકીએ પાર્ટી પાસેથી લોકશાહી ઢબે જાહેરમાં માંગણી કરી હતી. પરંતુ આજે સવારે જાહેર થયેલા ઉમેદવારોના લીસ્ટમાં આ બેઠક માટે રમેશભાઇ ટીલાળાનું નામ જાહેર થયું છે. આ બાદ તુરંત નરેન્દ્રબાપુના ગાયત્રીનગર સ્થિત જીવરાજ હોસ્પિટલના કાર્યાલયે જ્ઞાતિ સમાજના આગેવાનો એકત્ર થયા હતા. કોઇ જ્ઞાતિજન કે સૌરાષ્ટ્રમાંથી કોઇ સાધુ સંતોને પણ ટીકીટ આપવામાં નહીં આવ્યાનો રોષ વ્યકત થયો હતો. આ બાદ દોઢસોથી બસ્સો ટેકેદારો સાથે કલેકટર કચેરીએ જઇને તેમણે ફોર્મ ઉપાડયું છે. બળવો કરીને અપક્ષ ચૂંટણી લડવા અંગેના સવાલના જવાબમાં નરેન્દ્રભાઇએ કહ્યું હતું કે રાજકોટ-70માં વિશ્વકર્મા સમાજની મોટી વસ્તી છે. ઓબીસી સમાજ મોટો છે. લાંબા સમયથી રજુ કરાતી માંગણી ધ્યાને લેવાતી નથી. સાધુ સંતોની લાગણી પણ સ્વીકારવામાં આવી નથી. આથી સમાજના નારાજ થયેલા આગેવાનો સાથે ચર્ચા બાદ ફોર્મ ભર્યુ છે. સ્થાનિક ઉમેદવારની માંગણીને પણ નજરઅંદાજ કરવામાં આવી છે. તેઓએ જણાવ્યું હતું કે ચૂંટણીનું ફોર્મ ઉપાડીને પાર્ટી સાથે કોઇ શરત મુકવા કે સોદો કરવાની તેમની કોઇ દાનત નથી. આવું કરવું હોત તો ભુતકાળમાં તેમની પાસે ઘણી ઓફર આવતી હતી. તેઓ સત્તાની લાલચમાં પડયા નથી. સેવાના માધ્યમથી જ લોકો સાથે જોડાયેલા છે. વર્ષો અગાઉ રાજપા-ભાજપના સમયમાં ભાજપ કાર્યાલયને તાળા મારનારાને પણ તેમણે યાદ કર્યા હતા. આ સમયે પક્ષના વફાદાર સૈનિક તરીકે ભાજપની આબરૂના તાળા ખોલનાર આગેવાનોમાં તેઓ સામેલ હતા. નરેન્દ્ર બાપુના આ તેવર અને શકિત પ્રદર્શનથી રાજકોટ-70 અને ભાજપમાં ચકચાર ફેલાઇ ગઇ છે. બાપુ હવે શું કરશે તેના પર સૌની મીટ છે. હાલ તો વિશ્વકર્મા, કડીયા સહિતના ઓબીસી સમાજના લોકો રોષ સાથે મીટીંગમાં પહોંચવા લાગ્યા છે. બાઈટ_ પૂર્વ ડે.મેયર નરેન્દ્રભાઇ સોલંકી _01 કેમેરામેન ઘીરેન રાઠોડ mo 98791 27147 રિપોર્ટર: હિતેશ કુમાર રાઠોડ mo 90990 25113 –રાજકોટ

Hello Morbi

Leave a Comment