
શ્રી રામદુત સેવા સંસ્થા સુરેન્દ્રનગર આયોજિત શ્રી રામ ચરિત માનસ જ્ઞાનયજ્ઞ સમુહપાઠ પરમ પૂજય વંદનીય ૧૦૦૮ મહા મંડલેશ્વર સંત શ્રી જાનકીદાસ બાપુ વ્યાસપીઠે બીરાજી સંગીતમય શૈલીમાં રસપાન કરાવેલ. કથા વિરામ દિવસે સમગ્ર રઘુવંશી સમાજ રઘુવંશ શીરોમણી શ્રી રામચંદ્ર ભગવાન ના જય ઘોષ સાથે ઝુમી શ્રી રામ રાજ્યાભિષેક માં હાજરી આપી ધન્યતા અનુભવી હતી સમગ્ર રઘુવંશી સમાજ ના અનેરો આનંદ હતો મુખ્ય મનોરથી સહ મનોરથી તથા મહાપ્રસાદ યજમાનશ્રીઓએ કથા વિરામ દિવસે મહા આરતીનો લાભ મેળવ્યો હતો મહાપ્રસાદ યજમાન શ્રી વર્ષિલ પ્રકાશભાઈ રાજવિર પરિવાર સાથે કેનેડા થી ઉપસ્થિત રહી લાભ મેળવી ધન્યતા અનુભવી હતી સમગ્ર યજમાન પરિવારને વંદનીય બાપુએ સન્માનિત કરી આશીર્વાદ આપ્યા હતા શ્રી રામ કથા માં પ્રમુખશ્રી પુનિતભાઈ ગોવાણી મંત્રીશ્રી તુષારભાઈ હાલાણી શ્રી અશોકભાઈ પુજારા યુવક મંડળ મહિલા મંડળ દ્વારા અદ્ભુત વ્યવસ્થા કરવામાં આવી હતી.
જીતુ કોટક – ધ્રાંગધ્રા




