
*જન્માષ્ટમીનો તહેવાર સૌને પ્રેમ, સુખ અને શાંતિ અર્પે એ જ અભ્યર્થના : રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની શુભેચ્છાઓ*
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ જન્માષ્ટમીની શુભેચ્છાઓ પાઠવી છે.
ભગવદ ગીતાના માધ્યમથી માનવજાતને મહત્વનું માર્ગદર્શન આપનાર, પ્રેમથી ધર્મનો માર્ગ પ્રશસ્ત કરનાર, સ્થિતપ્રજ્ઞતા અને શાંતિની સમજ આપનાર તથા ફળની અપેક્ષા વિના કર્મ કરવાનો મહામંત્ર આપનાર કર્મયોગી અને મહાન ગુરુ ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવ- જન્માષ્ટમીની સૌને શુભેચ્છાઓ. જન્માષ્ટમીનો તહેવાર સૌને પ્રેમ, સુખ અને શાંતિ અર્પે એ જ અભ્યર્થના..
*અહેવાલ કિશોર વિડજા મોરબી*

