
મોરબી ખાતે આગામી તા.૨૪-૧૨-૨૦૨૩ ના રોજ ગુજરાતના માન.રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીની મોરબી મુલાકાત અર્થે કલેકટર કચેરીના સભાખંડ ખાતે બેઠક યોજાઈ હતી.
તા.૨૪-૧૨-૨૦૨૩ના રોજ આર્યભૂમિ, પ્રભુરત્ન પાર્ટી પ્લોટ પાછળ, એસ.પી.રોડ મોરબી ખાતે મહર્ષિ દયાનંદ સરસ્વતીજીની ૨૦૦ મી જન્મ જ્યંતીને અનુલક્ષીને ૧૧૦૦ કુંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. આ યજ્ઞમાં માન.રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી ઉપસ્થિત રહેવાના હોય તે સંદર્ભે મોરબી જિલ્લા નિવાસી અધિક કલેકટરશ્રી એન.કે. મુછારની ઉપસ્થિતમાં મોરબી જિલ્લા કલેકટર કચેરીના સભાખંડ ખાતે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં તમામ અધિકારીશ્રીઓને જરૂરી વ્યવસ્થા અને સુચારૂ આયોજન કરવા સુચનો કર્યા હતા.

