
ખેડબ્રહ્મા તેમજ વડોદરા લોહાણા સમાજનું ગૌરવ વધારતી અનવેશા ઠકકર
વડોદરા નિવાસી વિશાલકુમાર સુરેશભાઈ ઠકકર તેમજ શ્રીમતી જલ્પાબેનની લાડકવાયી દીકરી ચિરંજીવી અનવેશા ઠકકરે તાજેતરમાં આવેલ ધોરણ 10 બોર્ડની પરિક્ષાના પરિણામમાં 93.96 પર્સન્ટાઈલ પ્રાપ્ત કરી સમગ્ર રઘુવંશી લોહાણા સમાજનું ગૌરવ વધારેલ છે.ચિરંજીવી અનવેશા ખેડબ્રહ્મા ભાજપના પાયાના આગેવાન તેમજ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ શ્રી અરવિંદભાઈ ઠક્કરની દોહિત્રી છે.આમ અનવેશાના સારા પરિણામથી વડોદરા તેમજ ખેડબ્રહ્મા એમ બેઉ નગરોના રઘુવંશી લોહાણા સમાજના ગૌરવમાં વધારો થયેલ છે.તેણી વડોદરાની અંબે વિધાલયમાં અભ્યાસ કરતી હતી.
લોહાણા મહાપરિષદ ઉતર ગુજરાત ઝોનના પ્રમુખ ભગવાનભાઈ બંધુ તેમજ લોહાણા ન્યૂઝના તંત્રી આનંદભાઈ પી.ઠકકરે ચિરંજીવી અનવેશા ઠકકર તેમજ તેમના સમગ્ર પરિવારને અભિનંદન આપી અત્યંત રાજીપો વ્યક્ત કરેલ છે.
