
*આઇશ્રી ખોડિયાર માતાજીની જન્મ જયંતિ નિમિતે સલાયાના શહેર ભાજપ મહામંત્રી લાલજી ભાઈ ભુવા દ્વારા ખોડીયાર મંદિરે ધ્વજા આરોહણ.*
આગામી 17 તારીખના રોજ આઈશ્રી ખોડિયાર માતાજીની જયંતિ આવી રહી છે. આ અવસરે સલાયા-ખંભાળિયા વચ્ચે આવેલ નાગેશ્વર મંદિરની પાસે આવેલ નાગેશ્વરી ખોડીયારમાનું મંદિર આવેલું છે, ત્યાં સલાયા શહેર ભાજપના મહામંત્રી અને રઘુવંશી સમાજના અગ્રણી શ્રી લાલજીભાઈ ભૂવા દ્વારા માતાજીના મંદિરે ધ્વજા આરોહણ કરવામાં આવશે.તેમજ માતાજીની આરતી કરી પૂજા અર્ચના કરવામાં આવશે.તો આં સુંદર ધાર્મિક અવસરે સૌ ભક્તોએ નાગેશ્વરી ખોડીયાર મંદિરે પધારવા લાલજીભાઈ દ્વારા ભાવ ભરેલું નિમંત્રણ આપવામાં આવેલ છે.

