
જોડિયા તાલુકાના બાલંભા ખાતે તારીખ. 16.7.26 ના રોજ ભગવાન જગન્નાથજી ની ભવ્ય રથયાત્રા નીકળી.
અષાઢી બીજ ના પાવન અવસરે બાલંભા ખાતે ગ્રામ જનોદ્વારા ભગવાન જગન્નાથજી. ભાઈ બલભદ્ર તેમજ બહેન સુભદ્રાજી ની ભવ્ય રથયાત્રાનું શ્રદ્ધા અને ભક્તિ ભાવ સાથે આયોજન કરવામાં આવ્યું હતું જય જગન્નાથ ના જય ઘોષ હરિ નામ સકીર્તન અને ભક્તિમય વાતાવરણ વચ્ચે નીકળેલી રથયાત્રા એ સમગ્ર બાલંભા ને આધ્યાત્મિક રંગે રંગી દીધું હતું આ રથયાત્રા બાલંભા ના મુખ્ય માર્ગો પરથી નીકળી હતી યાત્રા દરમિયાન મોટી સંખ્યામાં હરિભક્તો ઉત્સાહભેર જોડાયા હતા જગન્નાથ ભગવાનના દર્શન કરવા તેમજ આશીર્વાદ મેળવવા માર્ગો ઉપર ભાવિકોની ભારે ભીડ ઉમટી હતી .
રથયાત્રા દરમિયાન હરિ નામ સ કીર્તન અને આધ્યાત્મિક કાર્યક્રમોથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું વિવિધ સ્થળોએ સ્થાનિક સેવાભાવી ભાવિકો દ્વારા ઠંડા પીણા શરબતનું આયોજન કરેલ હતું આયોજકો દ્વારા સમગ્ર રૂટ ઉપર વ્યવસ્થા જાળવવામાં આવેલ હતી જેના કારણે સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ. સુચારુ અને ધાર્મિક ઉલ્લાસ ભર્યા વાતાવરણમાં સંપન્ન થયો હતો


