
જોડીયા તાલુકાના બાલંભા ગામે તા. 16.7.26 ના રોજ જગન્નાથજીની ભગવાનની ભવ્ય રથયાત્રાનું આયોજન
જોડિયા તાલુકાના બાલંભા ગામે તા.16.7.26 ના અષાઢી બીજ નિમિત્તે એક ભવ્ય શોભાયાત્રા નું આયોજન કરવામાં આવેલ છે આ પાવન અવસરે બાલંભા ના તમામ ગ્રામજનો ધર્મપ્રેમી ભક્તોને આ રથયાત્રાનો લાભ લેવા તેમજ ભગવાન જગન્નાથજી ના આશીર્વાદ મેળવવા ભાવભર્યુ આમંત્રણ પાઠવવામાં આવે છે.
આ રથયાત્રા બાપા સીતારામ મઢુલી ( જોડીયા નાકાથી ) બપોરના ત્રણ વાગ્યે બાલંભા ગામમાં પ્રસ્થાન કરશે અને બાલંભા ગામમાં વાજ તે ગાજ તે જય જગન્નાથ ના નારાઓ સાથે નીકળશે તો આ રથયાત્રામાં જોડાઈ ને ભગવાન જગન્નાથજીના દર્શનના લાભ સાથે આશીર્વાદ મેળવશો તેવું આયોજકો દ્વારા આમંત્રણ પાઠવવામાં આવે છે
અહેવાલ.. લલીતભાઈ નિમાવત બાલંભા
