
*મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર ખાતેથી શ્રી રામધામ-જાલીડા ખાતે યોજાનાર ૧૦૮ કુંડી શ્રી રામયજ્ઞ ની જલયાત્રા માં જોડાવવા બહોળી સંખ્યામાં મોરબી લોહાણા સમાજ નાં આગેવાનો રવાના.*
*મોરબી શ્રી લોહાણા મહાજન ના પ્રમુખ શ્રી ગીરીશભાઈ ઘેલાણી, મંત્રી નરેન્દ્રભાઈ રાચ્છ, મોરબી શ્રી જલારામ સેવા મંડળ ઉપપ્રમુખ ભાવીનભાઈ ઘેલાણી, શ્રી જલારામ મંદિર મહિલા મંડળ ના પ્રમુખ ભાવનાબેન સોમૈયા ની આગેવાની માં બહોળી સંખ્યા માં મોરબી લોહાણા સમાજ ના આગેવાનોનુ મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર ખાતેથી પ્રસ્થાન.*
સમસ્ત રઘુવંશી સમાજ ની એકતા ના પ્રતિક સમા પવિત્ર શ્રી રામધામ-જાલીડા ખાતે ત્રિદીવસીય વિવિધ ધાર્મિક કાર્યક્રમો નું આયોજન કરવા માં આવેલ છે જે અંતર્ગત ૧૦૮ કુંડી શ્રી રામયજ્ઞ યોજાનાર હોય, તેની ભવ્ય તેમજ દીવ્ય જલયાત્રા વાંકાનેર ખાતેથી પ્રસ્થાન કરશે. તે જલયાત્રા માં જોડાવવા બહોળી સંખ્યા માં મોરબી લોહાણા સમાજ ના આગેવાનો એ મોરબી શ્રી લોહાણા મહાજન પ્રમુખ શ્રી ગીરીશભાઈ ઘેલાણી, મંત્રી નરેન્દ્રભાઈ રાચ્છ, શ્રી જલારામ સેવા મંડળ-મોરબી ના અગ્રણી ભાવીનભાઈ ઘેલાણી, ચિરાગભાઈ રાચ્છ, કીશોરભાઈ ઘેલાણી, અનિલભાઈ સોમૈયા, અનિલભાઈ ગોવાણી, શ્રી જલારામ મંદિર મહિલા મંડળ-મોરબી ના પ્રમુખ શ્રીમતિ ભાવનાબેન સોમૈયા ની આગેવાનીમાં શ્રી જલારામ પ્રાર્થના મંદિર-મોરબી ખાતેથી પ્રસ્થાન કર્યુ હતુ તેમ શ્રી જલારામ સેવા મંડળ-મોરબી ના પ્રમુખ નિર્મિતભાઈ કક્કડે યાદી માં જણાવ્યુ છે.
લી.
નિર્મિત કક્કડ
પ્રમુખ
શ્રી જલારામ સેવા મંડળ
મોરબી.



