
*પૂજ્ય શ્રીજલારામ બાપાની 143 મી પુણ્યતિથી નિમિત્તે સલાયા શ્રીજલારામ મંદિરે ધરાશે 111 પ્રકારના રોટલાનો અન્નકૂટ,મહાઆરતી તેમજ રાસોત્સવનું ભવ્ય આયોજન*
આવનારી તારીખ 5 નાં રોજ પૂજ્ય શ્રી જલારામ બાપાની 143મી પુણ્યતિથિ આવી રહી છે. જે અનુસંધાને સલાયા શહેર ભાજપ મહામંત્રી અને સલાયા લોહાણા નવરાત્રી સમિતિ ના ઉપપ્રમુખ શ્રી લાલજીભાઈ ભૂવા દ્વારા સલાયાશ્રી જલારામ મંદિરે 111 પ્રકારના રોટલાનો અન્નકૂટ ધરવામાં આવશે. આ રોટલા હાપા સ્થિત વિશ્વ વિખ્યાત શ્રીજલારામ મંદિરેથી બનીને આવશે. આ હાપા મંદિર જેને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળેલું છે. આ 111 પ્રકારના રોટલાનો ભવ્ય અન્નકૂટ સલાયા શ્રીજલારામ મંદિરે ધરવામાં આવશે.જેના દર્શન સાંજે 5 થી 7 ખુલ્લા રહેશે. તેમજ 7.00 વાગ્યે જલારામ બાપાની મહા આરતી નીલકંઠ મંદિરના પૂજારી અશોકપુરી ગૌસ્વામી દ્વારા ઉતારવામાં આવશે.તેમજ આં દરમ્યાન શિવ ડીજે ના સથવારે બહેનોનો રાસોત્સવ યોજવામાં આવશે. અને સાંજે આરતી બાદ આં રોટલાનો અલૌકિક મહાપ્રસાદનું વિતરણ કરવામાં આવશે.તો આં ધાર્મિક કાર્યક્રમમાં પધારવા દર્શનનો લાભ લેવા લાલજીભાઈ ભૂવા દ્વારા સર્વે ભક્તોને ભાવ ભરેલું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
