• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
Latest-NewsOther

આ એક જ યોજનાથી કેન્દ્ર સરકારની તિજોરીમાં આવી ગયા અધધધ… 72,480 કરોડ રૂપિયા

કેન્દ્ર સરકારે પ્રત્યક્ષ કર વિવાદ (Direct Tax Disputes)સમાધાન યોજના ‘વિવાદથી વિશ્વાસ’ (Vivad Se Vishwas) દ્વારા અત્યાર સુધી 72,480 કરોડ રૂપિયાનો ટેક્સ (Tax) ભેગો કરી લીધો છે. આ યોજના અંતર્ગત ટેક્સ સંબંધિત વિવાદોને ઉકેલવામાં આવે છે. 17 નવેમ્બર સુધી આ યોજના (Scheme) અંતર્ગત 31,734 કરોડ રૂપિયાની વિવાદિત કર માંગથી સંબંધિત કુલ 45, 855 જાહેરાતો કરવામાં આવી છે.

એક લાખ કરોડ રૂપિયાના વિવાદોનું નિરાકરણ

આ જ રીતે યોજના અંતર્ગત કેન્દ્રીય સાર્વજનિક ક્ષેત્રના ઉપક્રમથી પણ કુલ એક લાખ કરોડ રૂપિયાના વિવાદોનું નિરાકરણ કર્યું છે. સરકારે ગત મહિને વિવાદથી વિશ્વાસ યોજના અંતર્ગત ચુકવણીની સમયસીમાને ત્રીજીવાર વધારી છે. પહેલા આના વિશે ખુલાસો કરવાની અંતિમ તિથિ 31 માર્ચ, 2020 હતી, જેને વધારીને 30 જૂન 2020 અને પછી 31 ડિસેમ્બર 2020 કરવામાં આવી. એટલું જ નહીં ચુકવણી કરવાની અંતિમ તિથિ વધારી 31 માર્ચ, 2020 કરી દેવામાં આવી છે.

કરદાતાઓએ 72,480 કરોડ રૂપિયાના ટેક્સ ચુકવ્યા

એક ન્યૂઝ એજન્સીની રિપોર્ટમાં સૂત્રોને ટાંકીને કહેવામાં આવ્યું છે કે, આ યોજના અંતર્ગત વિવાદિત વેરા માંગ પર કેન્દ્રીય સાર્વજનિક ક્ષેત્ર ઉપક્રમો તથા અન્ય કરદાતાઓએ 72,480 કરોડ રૂપિયાના ટેક્સ ચુકવ્યા છે. આવકવેરા વિભાગની ઉચ્ચ સ્તરીય બેઠકમાં કરદાતાઓને આ યોજના વિશે જાણકારી આપવા માટે ઈ-અભિયાન શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ યોજના હેઠળ કરદાતાઓના વિવાદિત કર, વિવાદિત વ્યાજ અને વિવાદિત દંડ અથવા ફીસને ચુકવવા માટે 100 ટકા વિવાદિત વેરો અને 25 ટકા વિવાદિત દંડ, વ્યાજ અથવા ફી ભરવી પડે છે. પ્રત્યક્ષ કર વિવાદથી વિશ્વાસ કાયદો, 2020ને 17 માર્ચ 2020ના લાગુ કરવામાં આવ્યો હતો.

Related posts

*HELLO MORBI:મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના વાહન અકસ્માતના ગુન્હામા છેલ્લા ૫ વર્ષથી નાસતા ફરતા આરોપીને વલસાડ જિલ્લાના ઉમરગામ ગામ ખાતેથી પકડી પાડતી મોરબી એલ.સી.બી / પેરોલ ફર્લો સ્કવોડની ટીમ*

editor

*મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે ચાલતા સદાવ્રત મા મહાપ્રસાદ યોજી ૩૭મા જન્મદીન ની ઉજવણી કરતા મોરબી સતવારા સમાજ અગ્રણી મયુરભાઈ દયારામભાઈ કંઝારીયા*

Hello Morbi

*નવનિયુકત સી એમ જામનગર ના ધુવાવ ગામની મુલાકાતે*

Hello Morbi

Leave a Comment