
બાલંભા તા ૨૭ (*લલીત નિમાવત દ્વારા*)જોડીયા તાલુકાનું સવથી મોટુગામ ગણાતું અને આખા તાલુકામાં સવથી મોટુ સિમતળ ધરાવતું બાલંભા ગામ અને સીમ હાલ જળ બંબાકર બની જાણે બેટમા ફેરવાયું હોય તેવી સ્થિતિ: આજીડેમ-૪ ચાલીસ પાટીયા ખોલવાથી સર્જાણીછે ઉપરવાસ થી અતિવૃષ્ટિ ને લયને પાણીની આવક વધુ હોય જેથી કરીને આજી ચારના ૪૦ દરવાજા ૧૮ ફૂટ ખોલવામાં આવેલ હોવાથી બાલંભા ફરતે પાણી ફરી વળ્યા છે બાલંભા આવવા જવાના ગડબા પુલ ઉપર પાણી હોવાથી રસ્તો બંધ થયેલ છે જેથી કરીને બાલંભા સંપર્ક વિહોણો થઈ ગયેલ છે જોડીયા નાકા તેમજ બસ સ્ટેન્ડ વિસ્તાર તેમજ નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે અત્યારે બાલંભા સંપર્ક વિહોણું થઈ ગયેલ છે જોડીયા મામલતદાર. ટીડીઓ ટેલીફોનીક સંપર્ક કરી રહ્યા હોવાનું જાણવા મળી રહયું છે
હાલ અતિવૃષ્ટિ ને લઈને જગતનો તાત લાચાર બન્યો છે ખેતરોમા કરેલ વાવેતર પાણી ભરાવાથી સંપૂર્ણ પણે બળી જાય અને મોટા ભાગની જમીનો ધોવાય જાય તેવી સ્થિતિ સર્જાણી છે તો જવાબદાર તંત્ર તાત્કાલિક ના ધોરણે યોગ્ય કરે તેવું ગામલોકો ઇરછી રહાછે

