
જોડિયા વિસ્તારમાં માં ત્રણ અલગ અલગ બીજ શ્રી રાવળ શા પીર ની સાંનિઘ્યમાં આષાઢી, શ્રાવણ,ભાદરવો,માસ ઉજવાય છે,
જોડિયા – દલ જાડેજા ના ઈષ્ટદેવ શ્રી રાવળ શા પીર ડાડા પુજાય છે.જોડિયા ના દરબાર ગઢમાં ચાર શતાબ્દી પહેલાં નવાનગર ના રાજવી શ્રી જામસાહબે દ્વારા મંદિર માં શ્રી રાવળ શા પીર ડાડા વિરાજી રહ્યા છે,ડાડા ની પુજા અર્ચના જોડીયા ના દલ જાડેજા પરિવાર ના હસ્તે સવાર – સાંજે કરવા માં આવે છે, જોડિયા અને બાદનપર ના દરેક સમાજ ના લોકો આસ્થા શ્રૃઘા સાથે આષાઢી બીજ શ્રી રાવળ શા પીર ડાડા ના દર્શન કરીને ઉજવવા ની પરમ્પરા ચાલુ રાખેલ છે, અને તે દિવસે ડાડા ના મંદિર પરિસરમાં માં મેલડી માતાજી નું મંદિર આવેલું છે, ભાવિકો દ્વારા ડાડા ના દર્શન બાદ માં મેલડી માતાજી ના પણ દર્શન નો લાભ મેળવે છે.બપોર પછી લોકો મેળો નો આનંદ માણતા હોય છે, સાંજે ડાડા ના પરિસરમાં બે ગામો ના ખેડૂતો ડાડા ના ભુવા પાસેથી વરસાદ ના વરતાવો ક્યાં દિવસે મેહ નું આગમન થશે ભુવા ઘુણીને ને ઝારના દાણા ના આઘારે વરસાદ ની આગાહી કરાય બાદ ગામજનો દ્વારા ભુવા ને શાલ ઓઢાડી ને સન્માનિત કરાય છે.શ્રાવણ માસ માં બીજ ની ઉજવણી ઉડ નદી ના કાંઠા વિસ્તાર ના એક ખેતરમાં શ્રી રાવળ શા પીર ડાડા મંદિર માં વિરાજે છે ત્યાં ખેડુત વર્ગ દ્વારા ડાડા ની પુજન વિધી દ્વારા ઉજવણી કરાય છે, અને ભાદરવા ની બીજ જોડિયા ના મસાણિયા ચેકડેમ ના ઉપલા વિસ્તારમાં એક નાની ડેરી માં વિરાજતા શ્રી રાવળ શા પીર ડાડા ની સાંનિઘ્યમાં લોકો બીજ ઊજવે છે, અહેવાલ, લલીત નિમાવત બાલંભા,૧૫/૭/૨૬,
