*આગામી 23 તારીખના માનનીય કેબિનેટ મંત્રીશ્રી અને ખંભાળિયાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી મુળુભાઈ બેરા સાહેબના જન્મદિવસ નિમિત્તે સલાયા શહેર ભાજપ પ્રમુખ લાલજીભાઈ ભૂવા દ્વારા સલાયામાં શ્રી હરસિદ્ધિ માતાજીએ કરાશે ધ્વજારોહણ*
આગામી 23 માર્ચના રોજ માનનીય કેબિનેટ મંત્રીશ્રી તથા ખંભાળિયાના લોકપ્રિય ધારાસભ્યશ્રી મુળુભાઇ બેરા સાહેબના જન્મ દિવસ હોઈ જે નિમિતે સલાયા શહેર ભાજપ પ્રમુખ અને રઘુવંશી સમાજના અગ્રણી શ્રી લાલજીભાઈ ભૂવા દ્વારા સલાયામાં આવેલ અતિ પ્રાચીન શ્રી હરસિદ્ધિ માતાજીના મંદિરે પૂજારી શ્રી અશોકભાઈ ગોસ્વામી સાથે ધ્વજા આરોહણ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં સલાયા ભાજપ પરિવાર તેમજ વિવિધ સંસ્થાઓના હોદેદારો અને ગ્રામજનો ખાસ ઉપસ્થિત રહેશે. અત્રે ઉલેખનીય છે કે શ્રી મુળુભાઇને માં હરસિદ્ધિ ઉપર અતૂટ શ્રદ્ધા છે, તેમજ તેમનાં કુળદેવી પણ છે. તથા મુળુભાઇને સલાયાના હરસિદ્ધિ માતાજીના મંદિર પ્રત્યે પણ વિશેષ લગાવ છે. સલાયા શહેર ભાજપ મહામંત્રી તરીકે બે ટર્મ તેમજ હાલ પ્રમુખ તરીકે સેવા આપતા લાલજીભાઈ ભૂવા પણ મુળુભાઇ બેરા સાથે પારિવારિક સબંધો ધરાવે છે.

