*મોરબી જલારામ ધામ ખાતે રામનવમી ના પાવન પર્વ નિમિતે ત્રિવિધ કાર્યક્રમો યોજાશે.*
*પ્રભુ શ્રી રામ ના જન્મોત્સવ ની ભક્તિભાવપૂર્વક ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે.*
સનાતન હિન્દુ ધર્મ ના આરાધ્ય દેવ પ્રભુ શ્રી રામ ના જન્મોત્સવ (રામ નવમી) નિમિતે વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરતા મોરબી ના શ્રી જલારામ સેવા મંડળ દ્વારા શહેર ના જલારામ ધામ ખાતે ત્રિવિધ કાર્યક્રમો નું આયોજન કરવામાં આવેલ છે. જે અંતર્ગત બપોરે ૧૧ઃ૩૦ કલાકે પ્રભુ શ્રી રામ નું પૂજન, બપોરે ૧૨ કલાકે મહાઆરતી ત્યાર બાદ બપોરે ૧૨ઃ૩૦ કલાકે ફરાળ મહાપ્રસાદ નું અનેરુ આયોજન કરવા માં આવેલ છે. તો શહેર ની ધર્મપ્રેમી ની જનતા ને પ્રભુ શ્રી રામ ના જન્મોત્સવ ના વધામણા કરવા, મહા આરતી નો લાભ લેવા તેમજ મહાપ્રસાદ ગ્રહણ કરવા પધારવા ભાવભર્યુ નિમંત્રણ છે.
લી.
શ્રી જલારામ સેવા મંડળ-મોરબી

