• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
Latest-NewsOther

ગુજરાતમાં કોરોનાના કેસ વધતા રૂપાણી સરકારે શું લીધો મોટો નિર્ણય ? જાણો

ગાંધીનગર : ગુજરાતમાં કોરોના વાયરસના વધી રહેલા સંક્રમણને લઈ ચાર શહેરોમાં રાત્રિ કરફ્યૂને લઈને મહત્વની જાહેરાત કરવામાં આવી છે. રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયાએ જણાવ્યું હતું કે આગામી આદેશ સુધી ચાર શહેરો એટલે કે અમદાવાદ રાજકોટ વડોદરા સુરત માં રાત્રિ કર્ફ્યુ હાલની જેમ જ યથાવત્ રહેશે.

ચારેય શહેરોમાં નવો નિર્ણય ન થાય ત્યાં સુધી રાતના 9 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી કર્ફ્યૂ યથાવત રહેશે. ભારત બંધના પગલે 8 ડિસેમ્બરે રાજ્યભરમાં કલમ 144 લાગુ રહેશે. કોઈ અનિચ્છીનીય બનાવ ન બને તે માટે રાજ્યમાં રહેશે ચુસ્ત પોલીસ બંદોબસ્ત.

રાજ્યમાં દિવાળીના તહેવારો બાદ કોરોના સંક્રમણ વધતા ચાર મહાનગરો અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરામાં રાત્રિના 9થી સવારના 6 વાગ્યા સુધી કર્ફ્યૂ જાહેર કરવામાં આવ્યો હતો. 7 ડિસેમ્બરે રાત્રિ કર્ફ્યૂનો છેલ્લો દિવસ હતો. જો કે 15 દિવસના આ રાત્રિ કર્ફ્યૂ છતાં રાજ્યમાં કોરોનાના કેસો કાબૂમાં આવ્યા નથી અને દરરોજ  1400ની આસપાસ કેસ સામે આવી રહ્યા છે.

Related posts

*HELLO MORBI NEWS:માળીયા તાલુકાના વવાણીયા ખાતે યોજાયેલ સેવાસેતુ કાર્યક્રમમાં ૧૩૯૮ અરજીઓનો હકારાત્મક નિકાલ કરાયો*

editor

*જોડિયાના વાવડી ગામ ખાતે પંદરમી ઓગસ્ટના પર્વની તાલુકા કક્ષા ની ઉજવણી કરવામાં આવી*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી જલારામ ધામ ખાતે ચાલતા સદાવ્રત માં મહાપ્રસાદ યોજી સ્વ.ગણેશભાઈ મુળજીભાઈ ઉઘરેજા ને શ્રધ્ધાંજલિ અર્પણ કરતા પરિવારજનો તથા મિત્રો*

editor

Leave a Comment