*૨૫ કોરોનાગ્રસ્ત તેમજ ૧૦ બિનવારસી દિવંગતો ના મોક્ષાર્થે શ્રી જલારામ પ્રાર્થના મંદિર-મોરબી ના મહિલા આગેવાનો દ્વારા આયોજન*
વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરતા મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા છેલ્લા ઘણા સમય થી બીનવારસી મૃતદેહો ના અંતિમ સંસ્કાર તથા તેમનુ અસ્થિ વિસર્જન કરવા મા આવે છે ત્યારે પ્રવર્તમાન સમયે મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા અનોખી પહેલ કરવા મા આવી છે જેમા મંદિર ના મહીલા આગેવાનો દ્વારા ૨૫ કોરોનાગ્રસ્ત મૃતદેહો ના અસ્થિઓ સહીત કુલ ૩૫ દીવંગતો ના આત્મા ના શાંતિ અર્થે સોમનાથ મુકામે પવિત્ર ત્રિવેણી સંગમ મા હીન્દુ શાસ્ત્રોક્ત વિધી દ્વારા વિસર્જન કરવા મા આવ્યુ.
આ ભગીરથ કાર્ય મા મોરબી જલારામ મંદિર ના ભાવના બેન સોમૈયા, ભારતીબેન ચતવાણી, જ્યોત્સના બેન ઘેલાણી, મીનાબેન ચંડીભમર, ચંદ્રીકાબેન માનસેતા, રીનાબેન ધામેચા, જયશ્રીબેન વિંધાણી, ત્રિશાબેન ચૌહાણ, ગીરીશભાઈ ઘેલાણી, પ્રતાપભાઈ ચગ, હરીશભાઈ રાજા, નિર્મિત કક્કડ, અનિલભાઈ સોમૈયા, હીતેશ જાની, બકુલભાઈ રાચ્છ, રાજુ વિંધાણી, કીશોરભાઈ ઘેલાણી, અમિત પોપટ, ડો.એમ.ડી. જાડેજા સાહેબ, વિરેનભાઈ પંડ્યા, સુનિલભાઈ ગોસ્વામી સહીતના આગેવાનો જોડાયા હતા.
લી.
નિર્મિત કક્કડ
પ્રમુખ
શ્રી જલારામ સેવા મંડળ
મોરબી.
