તા.02.01.20 ના રોજ જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના બાલાચડી..ખીરી.. બેરાજા ગામે તાલુકા અને જિલ્લા પંચાયતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સંદર્ભે ગ્રામ્ય વિસ્તારોમાં ભા.જ.પ.પક્ષ ના હોદેદારો દ્વારા ખાટલા બેઠક યોજવામાં આવી રહી છે. જેમાં દરેક બેઠક ઉપર ખેડૂતો ના લગતા સવાલો સાંભળી ને તેને જલ્દીથી ન્યાય આપવા માટે પ્રયત્નો કરવા માટે જામનગર જિલ્લા ભાજપ ના મહામંત્રી દિલીપભાઈ ભોજાણી. જિલ્લા પંચાયત ની સીટના ઇનચાર્જ ઠાકરસીભાઈ ભીમાણી.અને ખાટલા બેઠક ના ઇનચાર્જ રમેશભાઈ નદાસણા.તાલુકા ભાજપ ના ઉપ.પ્રમુખ જ્યૂભા વાઘેલા. કિશોરભાઈ પરમાર. ભાવેશભાઈ કાનાણી.વરજાગભાઈ ખીમાણીયા તેમજ જોડિયા તાલુકાના ભાજપના મહામંત્રી જયશુખભાઇ પરમાર. અને તમામ કાર્યકતાઓ મિત્રો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા…
શરદ એમ.રાવલ..હડિયાણા…


