
( જનક રાજા દ્વારા) મોરબી : મોરબીમાં રાજા-રાજાણી પરિવાર દ્વારા મહા સુદ નોમને તા.૨૧/૨/૨૧ ના રોજ શનાળા બાયપાસ એસ્સાર પેટ્રોલ પંપ વાળી શેરી મોરબી ખાતે જળમાયુ માતાજીનો નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. 
યજ્ઞ પ્રારંભ સવારે ૭:૩૦ કલાકે, ધજા વિધિ સવારે ૧૦ :૦૦ કલાકે અને યજ્ઞ પૂર્ણાહુતિ બપોરે ૧:૩૦ કલાકે થશે. યજ્ઞના આચાર્ય પદે શાસ્ત્રી જયેશભાઈ ડી. પંડ્યા યજ્ઞની શાસ્ત્રોક્ત વિધિ કરાવશે. તેથી, આ જળમાયું માતાજીના નવચંડી યજ્ઞનો ધર્મપ્રેમી જનતાને લાભ લેવા પ્રમુખ હસુભાઈ રાજા તથા ટ્રસ્ટીઓ તરફથી અનુરોધ કરવામાં આવ્યો છે. વધુ વિગત માટે પ્રમુખ હસુભાઈ રાજા મો. ૯૪૨૯૫ ૬૫૧૮૭ પર સંપર્ક કરવો.
