આથી સમગ્ર જોડિયા તાલુકાના ગ્રામજનો ને મારી નમ્ર અપીલ કે *કોવિડ -૧૯ કોરોના વાયરસ ને કારણે સમગ્ર જગ્યા એ કોરાના કેસ સતત વધતા હોય તેમજ હાલ ની પરિસ્થિતિ ઘણી ગંભીર હોય આપ સૌ સાથે મળીને નીચે મુજબ ની સૂચના નું તેમજ કોરોના ની ગાઇડલાઈન પાલન કરી આ પરિસ્થતિમાંથી બહાર આવીએ તેવી ઈશ્વર ને પ્રાર્થના તેમજ આપ સૌ ને નમ્ર અપીલ.🙏🏻*
*સૂચના -*
*(૧) અત્યંત જરૂરી કામ હોય તો જ ઘર ની બહાર નીકળવું.*
*(૨) ફરજિયાત માસ્ક અથવા રૂમાલ પહેરવો.*
*(૩)દિવસ માં જેમ બને તેમ વધુ વખત સાબુ/સેનીટાઈઝર થી હાથ ધોવા.*
*(૪)એક બીજા થી જેમ બને તેમ વધુ અંતર રાખવું તેમજ ટોળાં વરી ને બેસવું નહીં.*
*(5)૪૫ વર્ષ થી વધુ નાં વ્યક્તિએ ફરજીયાત કોરોના વેક્સિન લેવી જેથી આપણાં પરિવાર ને કોરોના થી બચાવી શકીએ.*
*(૬)કોરોના નાં લક્ષણ જણાય તો તરત જ આપણાં નજીક નાં સરકારી દવાખાના જઇને કોરોના ટેસ્ટ કરાવી ડોકટર ની સલાહ મુજબ દવા લેવી.*
*(૭)આપ સૌ સાથે મળીને સ્વયંભૂ લોક ડાઉન જેવી કે બિન જરૂરી ઘર ની બહાર નીકળવું નહિ તેવી પરસ્થિતિ નું નિર્માણ કરો*
*આપ સૌના સહકાર ની અપેક્ષા સહ*
*આમ ઉપરોકત સૂચના નું અવશ્ય પાલન કરો તેવી મારી આપ સર્વે જાહેર જનતાને વિનંતી
નાથાલાલ છગનભાઇ સાંવરિયા
પ્રમુખશ્રી
તાલુકા પંચાયત જોડિયા
