

છ “રોજ એક ડોલ ઘઉં ચોખા નું વિતરણ કરી પક્ષીના પેટ ભરવા નું કાર્ય કરી રહ્યા છે”
વાંકાનેર તાલુકામાં આવેલા હસનપર ગામ ખાતે રહેતા ભરવાડ સમાજના પક્ષી પ્રેમી એવા ધીરુભાઈ લક્ષ્મણભાઈ સટકા જેવો ભરવાડ સમાજમાં મોટા ભાગે ગાર્ડ ઢોર ઢાકર ને ચરાવી પોતાના અને પરીવારના ગુજરાન ચલાવતા હોય છે જયારે
એ ભરવાડ સમાજ ના મિત્ર સમભાવી અને લાગણીશીલ વ્યક્તિ એવા વાંકાનેર તાલુકાના હસનપર ગામે રહેતા ધીરુભાઈ ભરવાડ છેલ્લા બે વર્ષથી પશુ ની સાથે સાથે તે પંખી પ્રેમી બન્યા હોય તેમ પંખીઓની સેવાનું કાર્ય કરી રહ્યા છે
જે અંગેની જાણવા મળતી વિગત એવી છે કે વાંકાનેર તાલુકામાં આવેલા ઝાલી માર્ગ પર વાડી સીમ વિસ્તારમાં છેલ્લા બે વર્ષથી રોજ એક ડોલ પક્ષીઓ માટે ચણ ની ભરીને ઘઉં ચોખા નું વિતરણ કરી પક્ષી પ્રેમી તરીકેની ઓળખ ઉભી કરી છે
ભરવાડ સમાજના ધીરુભાઈ સાટકા એક મહિનામાં 150 કિલો ઘઉં ચોખા વિતરણ કઈ પોતાની યથાશક્તિ પ્રમાણે પક્ષીઓની સેવાકીય પ્રવૃત્તિમાં રચ્યાપચ્યા રહ્યા છે ઘણી વખત સવારે અને સાંજે પણ પક્ષીઓને ચણ પાણી આપતા હોય છે
રોજ એક દિવસ એક ડોલ જેમાં આશરે સાતથી આઠ કિલો ઘઉં ચોખા નું ચણ પક્ષીઓને આપી રહ્યા છે જે માનવ પક્ષી પ્રેમી તરીકેની ઓળખ પૂરી પાડે છે
નોંધનીય છે કે પશુ પંખીઓના ની સેવાના કાર્ય ઘણા બધા માનવ સેવકો કરતા હોય છે
પરંતુ નાના એવા ગામડામાં હસનપર ખાતે ધીરુભાઈ ભરવાડ ની સેવા છેલ્લા બે વર્ષથી સતત શિયાળો ઉનાળો ચોમાસું બારેમાસ સેવાકીય કાર્યોમાં સમયસર રાબેતા મુજબ રોજ સવારના સાત વાગ્યામાં વાડી સીમ વિસ્તારમાં પોતા ની રુચિ અનુસાર રોજ નિયમ મુજબ પક્ષીઓ ને ચણ પાણી પૂરા પાડી પક્ષી પ્રેમી તરીકેની આગવી ઓળખ પૂરી પાડી રહ્યા છે
