
વર્તમાન સમયમાં ગૌસેવા અને ગૌશાળાઓનું મહત્વ અને જરૂરિયાત વધી રહેલ છે ત્યારે ડીસા રઘુવંશી લોહાણા સમાજના ગૌભકતો સર્વ કનુભાઈ આચાર્ય,ભગવાનભાઈ બંધુ,મહેશભાઈ ઉડેચા,રાજ મજેઠીયા તેમજ કાંકરેજ ભાજપના અગ્રણી નિરંજનભાઈ અચરતલાલ ઠકકર સહિત સૌએ તાજેતરમાં રાધનપુરની સુરભી ગૌશાળાની મુલાકાત લઈ રાજીપો વ્યકત કર્યો હતો.ગૌશાળાના સમર્પિત ટ્રસ્ટીઓ સર્વ લાલાભાઈ ઠકકર,પપ્પુભાઈ ઠકકર-માનસી,કુલદીપસિંહ રાઠોડ સહિત સૌએ ગૌશાળાની વ્યવસ્થા,આયોજન,ગાયોની સંખ્યા અને નાણાંકીય સ્થિતિની પણ માહિતી આપી હતી.ગૌશાળાનો વહિવટ,ટ્રસ્ટીઓની કામગીરી,સ્વચ્છતા,ગાયોની માવજત વિગેરેની જાણકરી મેળવી મુલાકાતીઓએ આનંદની લાગણી વ્યકત કરી યથાઈચ્છા સહયોગ પણ આપ્યો હતો.ગૌશાળાના પારદર્શક વહિવટને લીધે અનેક ગૌપ્રેમીઓ નિયમિતરૂપે સુરભી ગૌશાળાને સહકાર આપતા રહે છે.
