*અહેવાલ અને તસ્વીર આરીફ દિવાન*
“અવાર નવાર લાઈટ ડુલ થતા ખેડૂતોના ઉભા પાક ને ભારે નુકસાન થવાનો ભય!: ગ્રામ્ય વિસ્તારની પ્રજા આપ્યું પીજીવીસીએલનાઆવેદન પત્ર”
વાંકાનેર તાલુકા પંથકમાં અવાર નવાર લાઈટ ગુલ થઈ જતા ખેડૂતોને ભારે હાલાકી નો ભોગ બનવું પડે છે ત્યારે રોણકી ફિડર બેડી ની જીબી શાખા દ્વારા અવાર નવાર લાઈટ ટ્રીપ થતા ગામના લોકોએ પીજીવીસીએલ અધિકારીઓ સમક્ષ લેખિતમાં રજૂઆત કરી છે જેમાં જાણવા મળતી વિગત એવી છે કે વાંકાનેર તાલુકાના કોટડા નયાણી ગામના સરપંચ સહિત ગ્રામજનોએ પીજીવીસીએલ જીઈબી કચેરી ખાતે લેખિતમાં રજૂઆત કરી છે અવાર નવાર ગ્રામ્ય વિસ્તારમાં લાઈટ ગુલ પાવર ફોલ્ટ ના કારણે ખેડૂતોના આપને પણ પાણી પાવાના સમયે લાઈટ પાવર ડિમ થવાના કારણે ગુલ થતા સમગ્ર કોટડા નયાણી ગામ અને સરપંચ રતનબા વિજયસિંહ જાડેજા સહિત તાલુકા સભ્ય મહિપાલ સિંહ જાડેજા તેમજ હિતુભા જાડેજા દશરથ સિંહ જાડેજા રૈયાણી સુરેશભાઈ તેમજ ગૌતમભાઈ ગોરીયા ભાવેશભાઈ ગોરીયા રવિરાજસિંહ જાડેજા ઇન્દ્રજીતસિંહ જાડેજા મોહનસિંહ લીબાસીયા સહિતના વિગેરે લેખિતમાં ખેડૂત ચિંતક અને ગ્રામજનો અંગે ધારદાર રજૂઆત કરી હતી જેથી અધિકારી એ લેખિતમાં ખાતરી આપતા સમગ્ર કોટડા નયાણી ગામ જનો સરપંચ ગામજનો સમસ્યા મુક્ત થવાની આશાઓ સાથે અધિકારી દ્વારા અપાયેલા સમયની રાહ જોવાની રહી છે
