*રિપોર્ટર શબ્બીર ભાઈ સેલોત કોડીનાર*
ઉના ગીર ગઢડા તાલુકામાં તાઉતે વાવાઝોડા બાદ અનેક ટ્રાન્સફોર્મરો બળી ગયા હતા જેના કારણે સંપૂર્ણ વિસ્તારોમાં વિજ પુરવઠો ખોરવાઈ ગયો હતો વાવાઝોડાને પાંચ મહિના નાં થીં વધારે સમય વિતી ગયા હોવા છતાં પુન સ્થાપિત કામગીરી ગોકુળ ગાય ગતિ એ ચાલતી હોવાથી ખેડૂતો રોષે ભરાયાં છે.
ઉના, ગીર ગઢડા તાલુકા નાં મોટા ભાગના ખેતીવાડી નાં ટ્રાન્સફોર્મરો બદલાવાના બાકી છે તેવાં સમયે 10,25,63,100 કે.વી.ના બળી ગયેલા ટ્રાન્સફોર્મરો ઉપલબ્ધ નથી જેના કારણે ખેડૂતોના ઉભા પાકો સુકાઇ કે બળી જવાની દહેશત ઉભી થઇ છે અને આગામી સીઝન માટે ખેડૂતો પાકનું વાવેતર કરી તેમ નથી.
આ તમામ બાબતે ઉના નાં ધારાસભ્ય પુંજાભાઈ વંશ ની આગેવાની માં કોંગ્રેસ પક્ષ નાં હોદ્દેદારો અને કાર્યકરો દ્વારા PGVCL પ્રાંત અધિકારી ને આવેદનપત્ર પાઠવી સત્વરે યોગ્ય કરવા રજુઆત કરી હતી.