


મોરબી જિલ્લા કૉંગ્રેસ ઓ.બી.સી પ્રમુખ રાજુભાઈ આહિર ની અધ્યક્ષતા માં તા:4/1/2022 ના રોજ કૉંગ્રેસ કાર્યાલય ખાતે મિટિંગ યોજાય હતી જેમાં મોરબી જિલ્લાના ઓ.બી.સી ના 50 જેટલા નવા હોદેદારો ને નિમણુકો આપવા માં આવી હતી
આ તકે મોરબી જિલ્લા પ્રભારી ડો. દિનેશભાઈ પરમાર , મોરબી જિલ્લા ઓ.બી.સી પ્રભારી પ્રવીણભાઈ મૈયડ, મોરબી જિલ્લા પ્રમુખ જેન્તીભાઈ પટેલ, લક્ષમનભાઈ કણઝારિયા,વિનોદભાઈ ડાભી,રમેશભાઈ રબારી, શોનગરા તેમજ મનસુખભાઇ વાઘેલા એ હાજરી આપી હતી…
જેમાં આગામી 2022 ની વિધાનસભા ની ચુંટણી આવી રહી છે તેમા મોરબી જિલ્લા માં ત્રણેય બેઠકો ઉપર કૉંગ્રેસનો વિજય થશે તેવો વિશ્વાસ કૉંગ્રેસ ના આગેવાનોએ વ્યક્ત કરેલ છે અને તેની સાથોસાથ ગુજરાતમાં કૉંગ્રેસ સતા ઉપર આવશે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ મુજબ તમામ લોકો કે જેના કોરોના દરમિયાન અવસાન થયેલ તેના પરિવારજનોને ચાર લાખ રૂપિયાની સહાય કૉંગ્રેસ દ્વારા આપવામાં આવશે.



