


સીમા જાગરણ મંચ સાગરભારતી મોરબી દ્વારા ૭૩ માં પ્રજાસત્તાક પર્વ ની ઉજવણીના ભાગરૂપે મોરબી જિલ્લા ના સીમાવર્તી વિસ્તાર ના સોલંકીનગર ગામે ભારત માતા પૂજન કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમ અંતર્ગત ગામ ના પરિવારજનો દ્વારા ભારત માતા નું કંકુ,ચોખા અને તિલક કરી પૂજન કર્યું હતું. તેમજ આ પૂજન અને પર્વ અંગે દિલીપભાઈ પરમાર દ્વારા વક્તવ્ય(બૌધ્ધિક) આપવામાં આવેલ. સીમા જાગરણ મંચ દ્વારા આ પ્રજાસત્તાક પર્વ નિમતે ગામ ના ગરીબ પરિવારો ને અનાજ અર્પણ કરેલ.આ સમગ્ર કાર્યક્રમ ને સફળ કરવા બદલ સીમા જાગરણ મંચ ના સહ સંયોજક હિરેનભાઈ વિડજા એ ગ્રામજનો નો આભાર વ્યક્ત કરેલ.


